News of Friday, 22nd January 2021
બગદાદમાં આત્મઘાતી વિષ્ફોટમાં 28નાં મોત : 73 ઘાયલ
વિષ્ફોટ બાદ સર્વત્ર લોહીનાં ડાઘ અને માર્ગ પર કપડા વિખરાયેલા જોવાયા
ઇરાકની રાજધાની બગદાદ આત્મઘાતી હુમલાથી ધ્રુજી ઉઠી, મધ્ય બગદાદમાં થયેલા આ વિષ્ફોટનાં કારણે 28 લોકોનાં મોત અને 73 ઘાયલ થયા.છે
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં બગદાદમાં આ સૌથી ખતરનાક હુમલો છે. શહેરનાં ટાયેરાન સ્કવેટર પર જુના કપડાનાં માર્કેટમાં આ વિષ્ફોટ થયો છે.
આત્મઘાતિ હુમલાખોર ખુદને બીમાર બતાવીને માર્કેટમાં ઘુસ્યો, તેની આસપાસ જ્યારે લોકોની ભીડ એકઠી થઇ તો તેણે પોતાની જાતને ઉડાવી દીધી, વિષ્ફોટ બાદ સર્વત્ર લોહીનાં ડાઘ અને માર્ગ પર કપડા વિખરાયેલા જોવા મળ્યાહતા
(12:00 am IST)