News of Tuesday, 22nd January 2019
એમ.પી.ના નવનિર્વાચિત ૧૪૭ ધારાસભ્યોને પ૦ ટકાથી ઓછા મત મળ્યા : એડીઆર
એશોશીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર) ના રીપોર્ટના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશના નવનિર્વાચિત ર૩૦ ધારાસભ્યો માંથી ૧૪૭ ધારાસભ્યોએ વિધાનસભા ચૂંટણીમાં પ૦ ટકાથી ઓછા મતથી જીત હાંસલ કરેલ છે. અહેવાલ પ્રમાણે પ૦ ટકાથી વધારે મતોથી જીત હાંસીલ કરવાવાળા બધા ધારાસભ્ય બીજેપી અને કોંગ્રેસમાંથી છે જયારે ૬ ધારાસભ્ય એવા છે જેમણે ર૦ ટકાથી ૩૦ ટકા જ મત મળ્યા હતા.
(10:29 pm IST)