હવે પેપર પાસપોર્ટને બદલે ઇલેકટ્રોનિક ચિપ સાથેના ઇ-પાસપોર્ટ આપવાની તૈયારીઃ વિદેશોમાં વસતા ભારતીયો વતનના બ્રાન્ડ એમ્બેસેડર છેઃ તેમને સુખી અને સલામત રાખવા કેન્દ્ર સરકાર કટિબધ્ધઃ ૧૫મા ભારતીય પ્રવાસી દિનના ઉદઘાટન પ્રસંગે વારાણસી મુકામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન
વારાણસીઃ હવેથી પેપર પાસપોર્ટને બદલે ઇલેકટ્રોનિક ચીપ સાથેના ઇ-પાસપોર્ટ આપવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જે માટે ભારત સરકાર સેન્ટ્રલાઇઝ પાસપોર્ટ સિસ્ટમ અમલી કરશે. જે અંતર્ગત પાસપોર્ટને લગતી તમામ પ્રક્રિયા વિશ્વ વ્યાપ્ત ભારતીય દ્તાવાસ તથા કોન્સ્યુલેટ ઓફિસોમાં અમલી બનાવાશે. તેવું આજરોજ વારાણસી મુકામે ૧૫મા ભારતીય પ્રવાસી દિવસના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું ઉપરાંત પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન તથા ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા માટે વીઝા આપવાની પ્રક્રિયા પણ સરળ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વિદેશોમાં વસતા ભારતીયો વતનના બ્રાન્ડ એમ્બેસેડર હોવાનું જણાવ્યું હતું આ ભારતીયો સુખી તથા સલામત રહી શકે તે માટે કેન્દ્ર સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. તથા છેલ્લા સાડા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે ર લાખ જેટલા વિદેશ સ્થિત ભારતીયોના પ્રશ્નો હલ કર્યા હોવાનું જણાવ્યું હતું.