રશિયાની જળસીમામાં ૨ જહાજોમાં આગ ફાટી નીકળતા ડઝનબંધ ભારતીયોના મોત
મળતા અહેવાલો મુજબ રસીયા નજીકના એક સમુદ્રમાં લીબીયા, તુર્કી અને ભારતીય ખલાસીઓ સાથેના બે જહાજો ઉપર આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા એકાદ ડઝન કર્મચારીઓના મોત થયાનું જાણવા મળે છેઃ રશિયાની જળસીમામાં આ જહાજો ઉપર આગ ફાટી નીકળી હતી જેમાં એક જહાજમાં ગેસ ભરેલ હતો અને એક ટેન્કર હતુઃ એકબીજામાંથી બળતણની ફેરબદલી કરતા સમયે આગ ફાટી નીકળી તેવુ મનાય છેઃ આ જહાજો ઉપર ૮ થી ૯ ભારતીય નાગરીકત્વ ધરાવતા કર્મચારીઓ હતા તેમ મનાય છેઃ રશિયાની સમાચાર સંસ્થા તાસના જણાવ્યા પ્રમાણે ૧૧ થી ૧૨ ખલાસીઓના મોત થયા છેઃ એક જહાજ ઉપર જે મોટો વિસ્ફોટ પણ થયો હતોઃ બચાવકાર્ય હાથ ધરાયેલ છે જયારે ૩૦ થી ૪૦ ખલાસીઓ આ ભડકે બળતા જહાજમાંથી સમુદ્રમાં કુદી પડી જીવ બચાવવામાં સફળ થયા હતાઃ આ પૈકીના એકાદ ડઝનને બચાવી લેવામાં આવ્યા છે : જયારે ૯ થી ૧૦ ખલાસીઓનો કોઈ પતો નથીઃ સમુદ્ર ભારે તોફાની હોય બચાવ તથા રાહતકાર્યમાં અડચણ આવી રહી છેઃ રશિયા અને યુક્રેન વચ્ચેની કર્ચ ખાડીમાં આ ઘટના બન્યાનું મનાય છે