મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

કર્ણાટકમાં કલા પીરસતા ગુજરાતના લોકડાયરાના કલાકારો

રાજકોટઃ ગુજરાતી સમાજ કર્ણાટક દ્વારા બેંગ્લોરના પેલેસ ગ્રાઉન્ડમાં ગુજરાતના લોકડાયરાના કલાકારોએ કલા પીરસેલ અને રાજભવનમાં રાજયપાલ વજુભાઇ વાળાની મહેમાનગતિ માણેલ. સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા કલાકારો સર્વ શ્રી ભીખુદાન ગઢવી, અભેસિંહ રાઠોડ, સાંઇરામ દવે, ફરીદા મીર વગેરેએ કલાના ઓજસ પાથર્યા હતા. શ્રી વજુભાઇ સાથેની ઉપરોકત તસ્વીરમાં મારૂતિ કુરીયરવાળા રામ મોકરિયા અને રાજ્યપાલના અંગત સચિવ શ્રી તેજસ ભટ્ટી પણ ઉપસ્થિત છે.(૧.૯)

(11:21 am IST)