મુખ્ય સમાચાર
News of Monday, 21st December 2020

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું ૯૩ વર્ષે નિધન

રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી, તા. ૨૧ : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે મોતીલાલ વોરાને કાલે રાત્રે એસ્કૉર્ટ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કાલે જ તેમનો જન્મદિવસ હતો. લાંબા સમય સુધી કૉંગ્રેસ ખજાનચી રહેલા મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે.

મોતીલાલ વોરા ગાંધી પરિવારના ઘણા જ નજીક હતા. વર્ષ ૨૦૧૮માં વધતી ઉંમરનું કારણ આપીને રાહુલ ગાંધીએ મોતીલાલ વોરા પાસેથી ખજાનચીની જવાબદારી લેતા અહમદ પટેલને આપી હતી. અહમદ પટેલનું પણ થોડાક દિવસો પહેલા નિધન થયું છે. કૉંગ્રેસને બહુ જ ટૂંકાગાળામાં ૨ ઉપરા-ઉપરી છાટકા લાગ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

(8:39 pm IST)