લાલુ પ્રસાદ યાદવની ખબર પૂછવા હોસ્પિટલ પહોચી તેની દીકરી રોહિણીઅે પિતાને આપ્યા નવા કપડા
રાંચી: લાલુ પ્રસાદ હાલ રીમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેવામાં તેમની દીકરી મળવા માટે પહોચી હતી.લાલુ પ્રસાદની દીકરી રોહિણીની સાથે ચંદા યાદવ અને વિક્રમ યાદવ પણ આવ્યા હતા. તેઓ ત્રણ કલાક તેના પિતા સાથે રહ્યા હતા. પિતા સાથે વાતચીત દરમ્યાન પોતાના હાથે ફળ ખવડાવ્યા હતા. એટલું જ નહી પરંતુ તહેવારને લઈને દીકરીઓએ પિતાને નવા કપડા પણ આપ્યા હતા.
મુલાકાત બાદ ચંદા યાદવે કહ્યું હતું કે લાલુ પ્રસાદની તબિયત સારી નથી. તેમને સારી સાર-સંભાળની જરૂર છે. રોહિણી આચાર્ય અને વિક્રમ યાદવે પણ તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી છે.
ચંદા યાદવે જણાવ્યું હતું કે અમૃતસર ટ્રેન દુર્ઘટનાને લઈને લાલુ પ્રસાદ ઘણા દુખી છે. આ દુર્ઘટના બદલ તેમણે રેલ્વે પ્રશાસનને દોષી કહ્યા છે. તેમણે ઘટનામાં મૃતક પરિવાર પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે લાલુ પ્રસાદનું સુગર લેવલ સમાન્ય થઇ રહ્યું છે. ડોક્ટરના કહેવા પ્રમાણે પહેલા તેમનું સુગર લેવલ વધારે હતું જે અત્યારે કન્ટ્રોલમાં છે.