મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં

ચિરાગ પાસવાને લખેલા ઓપન લેટરમાં આશા વ્યકત કરી કે પિતા જલદી ઠીક થઈ જશે

નવી દિલ્હી, તા.૨૧: કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાનની તબિયત બગડતા તે દિલ્હીની એક હોસ્પિટલમાં એડમિટ થયા હોવાનું તેમના પુત્ર લોક જનશકિત પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું છે. ચિરાગ પાસવાને બિહારમાં ન આવી શકવાનું કારણ આપ્યું જેમાં આ વાત સામે આવી હતી. પિતા હંમેશા મને બિહાર જવાની સલાહ આપે છે પણ તેમની તબિયતને જોતા આ શકય નથી, એમ પણ તેણે કહ્યું હતું.

રામવિલાસ પાસવાન ૨૪ ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં એડમિટ છે. રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત બગડતા હવે ICUમાં છે.

બિહારની રાજનીતિ બાબતે ચિરાગ પાસવાને કહ્યું કે, એનડીએ સાથે સીટ બાબતે કે બિહારના ભવિષ્ય માટે કોઈ પણ વાતચીત થઈ નથી. એનડીએમાં સીટને લઈને ઘણી અટકળો છે. હાલ બિહાર સરકાર જે સાત નિશ્ચય કાર્યક્રમ સાથે કામ કરી રહી છે તે એનડીએનો એજન્ડા નથી.

(2:47 pm IST)