મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ હવે પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે

નવી દિલ્હી :કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃ‌ત્તિ દિને જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) એટલે કે પેન્શન ચુકવણીનો આદેશ મળી જશે. આમ, હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્ત થયા બાદ પોતાનું પેન્શન મેળવવા અને તે માટેનો આદેશ જારી કરાવવા પેન્શન કચેરીના ચક્કર કાપવા પડશે નહીં.

(12:29 am IST)