News of Tuesday, 21st August 2018
અગાઉ જાહેર થયેલી ૨૩મીની રજા રદ્દ થઇ : ઇદની રજા હવે આવતીકાલે ૨૨મીએ
કેન્દ્ર સરકારે જાહેર કરી રજા : કાલે ઉજવાશે બકરી ઇદ
નવી દિલ્હી તા. ૨૧ : કેન્દ્ર સરકારે તેના પહેલાંના જાહેરનામાને પાછું ખેંચી ઈદ-ઉલ-અઝહાની રજામાં ફરીથી ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. હવે કેન્દ્ર સરકારના કાર્યાલયો ર૩ ઓગસ્ટના બદલે રર ઓગસ્ટે બંધ રહેશે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય શાહી ઈમામની અધ્યક્ષતામાં થયેલી ચાંદ કમિટીની બેઠક અને ત્યારબાદ શાહી ઈમામે આપેલી સૂચનાના આધારે લેવામાં આવ્યો છે.
કર્મચારી મંત્રાલયે કહ્યું હતું કે, દિલ્હી અને નવી દિલ્હી ક્ષેત્રમાં સ્થિત બધા જ કેન્દ્રીય કાર્યાલયો રર ઓગસ્ટે બકરી ઈદની રજા પાળશે. આ પહેલાં ૧૪ ઓગસ્ટે સરકારે કહ્યું હતું કે, ઈદ-ઉલ-અઝહાની રજા રર ઓગસ્ટના બદલે ર૩ ઓગસ્ટે હશે. (૨૧.૭)
(11:33 am IST)