મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

તિરૂપતિના મંદિરમાં ૧૦,૦૦૦ રૂપિયાના દાનથી મળશે વીઆઇપી દર્શનનો લાભ

તિરૂપતિઃ દુનિયાના સૌથી ધનવાન મંદિરોમાંથી એક તિરૂપતિ બાલાજી  મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના વીઆઇપી દર્શનની સુવિધા હવે કોઇ પણ વ્યકિત લઇ શકશે.

મંદિર પ્રશાસન દ્વારા વીઆઇપી દર્શનની સુવિધાને દાન સાથે જોડવાની તૈયારી કરવામા આવી છે, જેને લઇને દાન કરનારા કોઇપણ શ્રધ્ધાળું વીઆઇપી દર્શનનો લાભ લઇ શકશે. શ્રીવાની ટ્રસ્ટ દ્વારા અમલમાં આવનારી નવી યોજના હેઠળ રૂ.૧૦૦૦૦ ટ્રસ્ટમા઼ દાન કરનારા કોઇપણ શ્રધ્ધાળુને વીઆઇપી દર્શનની ટીકીટ આપવામા આવશે.

 

(12:03 pm IST)