મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

આઇએમએઃ મંસૂરખાન ત્રણ દિવસની રીમાન્ડમાં

નવી દિલ્હી : ઇસ્લામીક બેન્કના નામ હજારો લોકો સાથે છેતરપીંડી કરનારા આરોપી મંસૂરખાન ઉપર ઇડીએ સંકજો કસ્યો છે. મંસુરખાનની ધરપકડ બાદ આજે તેને કોર્ટમાં રજુ કરવામા આવ્યો હતો. જયાંથી મંસુરને ત્રણ દિવસ માટે ઇડીના રીમાન્ડમાં મોકલી દેવામાં આવ્યો હતો. શનિવારે સવારે બેંગ્લુરુ લઇ ગયા બાદ કર્ણાટક એસઆઇટી અને ઇડી વચ્ચે કસ્ટડીને લઇને થોડો વિવાદ થયો હતો.  બન્ને એજન્સી ર૦૦૦ કરોડ રૂપિયાના કૌંભાંડ મામલે મંસૂરની પૂછપરછ પહેલા કરવા માગે છે.

(11:44 am IST)