મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

જી-૨૩ વિવાદ બાદ કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડી જાય તેવા એંધાણ

અત્યંત વિશ્વવસનિય સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ હાઈ કમાંડ સાથે આજે ખાનગી રાહે લંબાણ મીટિંગ કરી છે. બહાર આવતી વિગતો મુજબ આ બેઠકમાં ગુલામ નબી આઝાદ ની નારાજગી દૂર કરવી ફરી એક વખત તેમને  તામિલનાડુમાંથી રાજ્યસભામાં મોકલવાનું આશ્વાસન આપવામા આવ્યુ છે. સાથે સાથે મહારાષ્ટ્રમાંથી રણદિપ સુરજેવાલા અથવા અજય માકનને રાજ્યસભામાં મોકલવામા આવે તેવું મનાય રહ્યું છે . આ ગુપ્ત મીટીંગમાં રાજસ્થાન અને પંજાબમાં પણ આંતરિક વિરોધના વંટોળને કેમ ટાઢો પાડવો એ માટેની એક ચોક્કસ રણનિતી બનાવવામા આવી છે એવું મનાય રહ્યું છે

(11:09 pm IST)