અફઘાનિસ્તાન સેનાની બે ચોકીઓ ઉપર તાલિબાની હુમલો :30 જવાનોના મોત
અફગાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત બેઘીસમાં સેનાની બે ચોકીઓ પર તાલિબાની હુમલો થયો છે જેમાં 30 જેટલા જવાનોની મોત થયા છે બેઘીસમાં તાલિબાનો ઘ્વારા આ ઘટનાને અંઝામ અપાયો હતો આ પહેલા ઈદના દિવસે જયારે તાલિબાન અને સેનાના જવાન એકબીજા સાથે મળી રહ્યા હતા, ત્યારે જ આતંકીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં 23 લોકોની મોત થયા હતા .
તાલિબાને ઈદ જોતા ત્રણ દિવસ સુધી અફગાનિસ્તાનમાં સીઝફાયરનું એલાન કર્યું હતું. ઈદ પછી અફગાનિસ્તાનમાં તાલિબાનનો આ પહેલો હુમલો છે.અફગાનિસ્તાન સરકાર આશા કરી રહી હતી કે તાલિબાનો ઈદ પછી પણ સીઝફાયર ચાલુ રાખશે. પરંતુ એવું બન્યું નહીં અને તાલિબાન ઘ્વારા અફગાનિસ્તાન ચોકીઓ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો
બેઘીસ પ્રાંતના કાઉન્સિલ અબ્દુલ અઝીઝ બેક ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ હુમલામાં કુલ 30 જવાનો માર્યા ગયા છે.