News of Tuesday, 21st May 2019
ઇવીએમમાં ગરબડી થઇ તો રસ્તા રકતરંજિત થશેઃ ઉપેન્દ્ર કુશવાહા
રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ મંગળવારના પત્રકાર પરિષદમાં કહ્યું જો ઇવીએમમાં ગરબડી થઇ તો સ્થિતિ ખરાબ થશે સડકો પર લોહી વહેશે. એમણે કહ્યું હુ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છુ કે આવું કોઇ કામ કરવાનુ વિચારતા હો તો બંધ કરજો આવી કોઇ કોશિષ થઇ તો મહાગઠબંધનના લોકો હથિયાર ઉઠાવવામા પાછા નહી પડે.
(11:57 pm IST)