મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

પિતા રાજીવ ગાંધીએ મને કયારેય નફરત ન કરવાનુ અને માફ કરવાનુ શિખવ્યુ હતુ : રાહુલ ગાંધી

         કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પિતા રાજીવ ગાંધીની પૂણ્યતિથી પર ટવીટ કર્યુ છે હુ એમની ગેરહાજરી મહેસુસ કરૂ છુ. એમની પુણ્યતિથી પર હુ એમને પ્યાર અને કૃતજ્ઞતા સાથે યાદ કરૂ છુ. એમણે કહ્યું મારા પિતા સજજન, સંવેદનપૂર્ણ અને સ્નેહશીલ હતા એમણે મને પ્યાર કરવાનું બધાની ઇજજત કરવાનૂ અને કયારેય નફરત નહી કરવાની અને માફ કરવાનુ શીખવ્યુ હતુ.

(10:48 pm IST)