મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

રાજીવજીને શ્રધ્ધાસુમન અર્પણ કરતા સોનીયાજી - પ્રિયંકા- રાહુલ

 ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો આજે ૨૭મો નિર્વાણ દીન છે. ૧૯૯૧માં તામીલનાડુના પેરમ્બુદુરમાં થયેલ આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવેલ. આજે  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનીયા ગાંધી, પુત્રી પ્રિયંકા, પુત્ર રાહુલ , રોબર્ટ વાડ્રા , પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણમુખર્જી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહીતના નેતાઓએ દિલ્હી ખાતે તેમની સમાધીએ ભાવવાહી અંજલી અર્પણ કરેલ.(૩૦.૨)

(12:10 pm IST)