News of Monday, 21st May 2018
હવે દિગ્વિજયની એકતા યાત્રા
ભોપાલ : તા૨૧: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ નર્મદા પરિક્રમા બાદ હવે એકતાયાત્રા પર નીકળવાની તૈયારીમાં છે. આ યાત્રા સંપૂર્ણ રાજકીય રહેશે, જેનો હેતુ કોંગ્રેસના રાજયમાં એકતા લાવવાનો અને સ્થાનિક નેતાઓને ફરી રાજકારણમાં સક્રિય કરવાનો છે. યાત્રા માટે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી નવી સમિતિની રચના કરવા માટે જઇ રહી છે. દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, ૨૨ મે સુધીમાં આ સમિતિની રચના થઇ જશે, ત્યારબાદ એકતાયાત્રાની શરૂઆત થશે. જે લોકો ટિકિટ નહીં માંગે તેઓ આ યાત્રામા ભાગ લઇ શકશે.
(10:46 am IST)