મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

કોરોના વાયરસ હવે પ્રાણીઓમાં પણ ઘુસ્યોઃ જયોર્જિયામાં જળબિલાડી કોરોના પોઝિટિવ

નાક વહી રહ્યું છે, છીંક આવી રહી છે : થોડી થાકેલી જોવા મળી પરંતુ તમામ લક્ષણ હળવા સ્તરના છે

ન્યુયોર્ક, તા.૨૧: કોરોના વાયરસ હવે માણસોને છોડી પ્રાણીઓમાં જોવા મળી રહ્યો છે. તે પણ એવા પ્રાણીમાં જેને જોવા લોકો એકવેરિયમ સુધી જાય છે. ભારતમાં પણ આ જીવ જોવા મળે છે. આ પ્રાણીનું નામ જળબિલાડી છે.

આ નોળીયાની એક પ્રજાતિ હોય છે. જે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. અમેરિકાના એટલાન્ટા શહેરમાં સ્થિતિ જયોર્જિયા એકવેરિયમમાં કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત જોવા મળી છે.

આ અંગે જયોર્જિયા એકવેરિયમે ટ્વિટ કરી આ જાણકારી આપી છે કે, તેમના કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત છે. તેમનું નાક વહી રહ્યું છે. તે છીંક આવી રહી છે. થોડી થાકેલી જોવા મળી રહી છે. પરંતુ તમામ લક્ષણ હળવા સ્તરના છે. જે જળબિલાડી કોરોના સંક્રમિત થઈ છે તે એશિયન સ્મોલ કલોડ ઓટર્સ એટલે કે નાના પંજાવાળી એશિયન જળબિલાડી છે

જયોર્જિયા એકવેરિયમમાં એનિમલ અને એન્વાયરમેન્ટલ હેલ્થની વાઈસ પ્રેસીડેન્ટ ડો. ટોન્યા કલોસે કહ્યું કે, એકવેરિમયના જંતુ નિષ્ણાંત આ જળબિલાડીઓની અલગથી સારવાર કરી રહ્યા છે. તેમને અલગ રાખવામાં આવી છે. આ ઉપરાંત એનિમલ કેર ટીમના પ્રાણીઓના ડોકટર પણ સતત તેમના પર નજર રાખી રહ્યા છે.

(11:58 am IST)