લ્યો હવે રાબડી દેવી કહે છે લાલુ યાદવને ભાજપ મારવા માંગે છે : ચોંકાવનારો આક્ષેપ : રાજકારણમાં નીતનવા નિવેદનોનો સીલસીલો અટકવાનું નામ લે તો જ નથી !!
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019)ના રાજકીય પારો વધવાની સાતે જ નેતાઓ દ્વારા આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ ચાલુ થઇ ચુકી છે. આ કડીમાં હવે બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનું નામ પણ જોડાઇ ચુક્યું છે. રાબડી દેવીએ શનિવારે આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની સરકાર આજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને મારવા માંગે છે. તેમણે કહ્યું કે, તેમનાં પુત્ર તેજસ્વી યાદવ લાલુને મળવા માટે ગયા હતા, પરંતુ તેમને મળવા દેવામાં નહોતા આવ્યા. તેના કારણે સરકારનું કાવત્રું જોવા મળી રહ્યું છે.
રાબડી દેવીએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, જો લાલુ પ્રસાદ યાદવને કંઇ થાય છે તો બિહાર અને ઝારખંડના લોકો રસ્તાઓ પર ઉતરી જશે. તેમણે કહ્યું કે, જો સરકાર લાલુ યાદવને ઝેર આપીને મારવા માંગે છે તો મારી શકે છે. જો કે તેમની આ તાનાશીહ નહી ચાલે. તેમણે કહ્યું કે, પરિવારનાં કોઇ પણ સભ્યને લાલુ યાદવને મળવા દેવામાં આવી રહ્યા. સરકારે મળવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.