મુખ્ય સમાચાર
News of Saturday, 21st April 2018

મધ્યપ્રદેશના સીહોરમાં અન્ય યુવક સાથે લગ્ન નક્કી થતા નારાજ પ્રેમીઅે પ્રેમીકાની સામે જ પાંચ લાખ રૂપિયામાં આગ ચાંપી દીધી

ભોપાલઃ મધ્યપ્રદેશના સીહોરમાં પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી તો નારાજ થયેલા પ્રેમીએ 5 લાખની નોટો સળગાવી દીધી. માહિતી પ્રમાણે, પ્રેમી એક ખાનગી ફાયનાંસ કંપનીમાં કેશિયર છે. પ્રેમીએ પાંચ લાખ રૂપિયા કંપનીની તિજોરીમાંથી કાઢ્યા હતા.

માહિતી પ્રમાણે, પોલીસે કેશિયર જિતેંદ્ર ગોયલને પકડી લીધો છે. પોલીસનું કહેવું છે કે આ રકમ પ્રેમિકાને બતાવવા માટે બેરાવલ ગામ પહોંચ્યો હતો, જેથી પ્રેમિકા લગ્ન માટે તૈયાર થઈ જાય. પરંતુ પ્રેમિકાના લગ્ન અન્ય કોઈ સાથે નક્કી થવાના કારણે તેણે લગ્ન માટે ના પાડી દીધી. આ વાતથી નારાજ થઈને કેશિયરે તેની પાસે રહેલા 5 લાખ રૂપિયામાં આગ લગાડી દીધી.

નસરુલ્લાગંજ પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્પંદના સ્ફૂર્તિ ફાયનાંસ કંપનીમાં પ્રાઈવેટ ફાઈનાંસ આપવામાં આવે છે. જ્યાં જિતેંદ્ર ગોયલ કેશિયરનું કામ કરે છે. તેની પાસે કંપનીની એક ચાવી પણ રહેતી હતી. 17-18 એપ્રિલની રાત્રે કેશિયર કંપનીની તિજોરીમાંથી 6 લાખ 74 હજાર રૂપિયા કાઢીને ગાયબ થઈ ગયો.

કંપનીના મેનેજરની સૂચનાથી નસરુલ્લાગંજ પોલીસે કેશિયર જિતેંદ્ર સામે ઉચાપતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સળગાવેલી નોટોમાં 2000, 500, 200 અને 100ની નોટો હતી. કેશિયર પાસેથી 46 હજાર રૂપિયા પણ જપ્ત કરાયા છે.

(6:16 pm IST)