News of Sunday, 21st March 2021
ઉત્તરાખંડમા પૂર્ણગિરિ મંદિરના ડુંગરના જંગલ માં આગ ફાટી નીકળી
ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં આવેલા મા પૂર્ણગિરિ ધામના મુખ્ય મંદિરની ટેકરીમાં રવિવારે આગ લાગી હતી. આગના પગલે ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે રાહતની વાત છે કે આગથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
મળતી માહિતી મુજબ, ડુંગરના જંગલમાં ફેલાયેલી આગ મુખ્ય મંદિરની ટેકરી પર પહોંચી ગઈ હતી, મંદિર સમિતિના સ્વયંસેવકોએ ટેકરી પર લાગેલી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. અહેવાલ છે કે મંદિરની ટેકરીની બીજી બાજુના જંગલમાં પણ આગ લાગી છે.
(5:36 pm IST)