News of Saturday, 21st March 2020
ઈટલીમાં ફસાયલે ભારતીયોને હાશકારો! ભારત સરકાર મોકલશે વિશેષ વિમાન
રોમમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે આ વિમાન
નવી દિલ્હી કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર મચાવી રાખ્યો છે. ઈટલીમાં શુક્રવારે રેકોર્ડબ્રેક 627 લોકોના મોત થઈ ગયા છે. આ રીતે દેશમાં આ બીમારીથી 4 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો આ બીમારીથી મરી ચૂક્યા છે. જ્યારે કે, 2. 75 લાખ લોકો આ બીમારીની લપેટમાં આવી ગયા છે. એક સારી ખબર પણ છે કે, ચીનમાં સતત છેલ્લા 3 દિવસથી ઘરેલુ સંક્રમણના કારણે કોરોનાનો એક પણ મામાલો સામે આવ્યો નથી.
રોમમાં ફસાયેલા ભારતીયોને પરત લેવા માટે આજે બપોરે 2.20 વાગ્યે એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન ઉડાન ભરશે. આ વિમાન આવતીકાલે સવારે પરત ફરશે.
(3:02 pm IST)