મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

યાસીર ઉસ્‍માનની બુક સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ લવસ્‍ટોરી ઓફ બોલીવુડ બેડ બોય વિરૂદ્ધ અભિનેતાઅે કાનૂની પગલા લેવા નિર્ણય લીધો

મુંબઇઃ યાસીર ઉસ્‍માનની સંજય દત્ત ઉપર બાયોગ્રાફી બુક અંગે વિવાદ સર્જાયો છે અને આ મુદ્દે અભિનેતા સંજય દત્ત કાનૂની પગલા લેવા આગળ વધી રહ્યા છે.

સંજય દત્તની બાયોગ્રાફી કહીને માર્કેટમાં વેચવામાં આવી રહેલી યાસીર ઉસ્માનની બુક સંજય દત્ત : ધ ક્રેઝી અનટોલ્ડ લવસ્ટોરી ઑફ બૉલીવુડ બૅડ બૉયવિરુદ્ધ અભિનેતાએ કાનૂની પગલા લેવાનો નિર્ણય લીધો છે. તેણે ટ્વિટર પર જાણકારી આપતા કહ્યું કે તેમની સત્તાવાર બાયોગ્રાફી ટૂંક સમયમાં રજૂ થશે. જે વાસ્તવિકતા પર આધારિત હશે.

તેમણે ટ્વિટર પર જણાવ્યું કે મે યાસીર ઉસ્માન અને સંબંધિત પબ્લિકેશનને મારી બાયોગ્રાફી પબ્લિશ કરવાની સત્તા નથી આપી. મારા વકીલે તેમને કાનૂની નોટિસ મોકલી છે, જેના જવાબમાં પબ્લિકેશને કહ્યું છે કે પુસ્તકનિં કન્ટેન્ટ પબ્લિક ડોમેઇનમાં રહેલી માહિતીના આધારે લેવામાં આવ્યું છે. જો કે કેટલાંક અંશ મારા અગાઉના ઇન્ટરવ્યુના આધારે લેવામાં આવ્યાં છે અને કેટલાંક 1990ના દશકના મેગેઝિનમાં છપાતી ગોસિપ્સ અને ટેબલૉઇડ માંથી છે. જે સંપૂર્ણ રીતે કલ્પના જ છે. આવા સમાચારોમાં કોઇ તથ્ય નથી.

આ પોસ્ટ સાથે તેણે મેસજ પણ લખ્યો છે કે આશા છે કે હવે આ પ્રકારની ખોટી ખબરો નહી આવે જેનાથી મને અને મારા પરિવારને તકલીફ થાય.

ઉલ્લેખનીય છે કે અભિનેતાની આ કથિત બાયોગ્રાફીમાં તેમના અંગત જીવન અંગે અનેક ખુલાસાઓ કરવામાં આવ્યાં છે. માધુરી સાથે તેમના અફેરનો કિસ્સો પણ તેમાં છે. પુસ્તકમાં જણાવવમાં આવ્યું છે કે કેવી રીતે અભિનેતાની પત્ની રિચા સુધી તેમના અફેરની વાત પહોંચી.

ઉલ્લેખનીય છે કે જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મનું શુટિંગ પૂરૂ થઇ ચુક્યું છે અને તેમાં રણબીર કપૂર સંજય દત્તની ભુમિકામાં જોવા મળશે.

(8:06 pm IST)