News of Thursday, 21st January 2021
અભિનેત્રી કંગના રનૌતને આવતીકાલ શુક્રવારે જુહુ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું સમન્સ : લેખક તથા ગીતકાર જાવેદ અખ્તરે કરેલી બદનક્ષીની ફરિયાદનો મામલો
મુંબઈ : લેખક તથા ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રનોત સામે નોંધાવેલી બદનક્ષીની ફરિયાદ મામલે મુંબઈ પોલીસે કંગનાને આવતીકાલ શુક્રવારે જુહુ પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે.
જાવેદ અખ્તરે નવેમ્બર માસમાં તેના વિષે બદનામી થાય તેવી કોમેન્ટ કંગના રનૌતે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન કરી હોવાની ફરિયાદ અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવી હતી. જેમાં તેઓને બોલીવુડની ટોળકીમાં શામેલ હોવાનું જણાવ્યું હતું. તથા પોતાની આબરૂને નુકશાન પહોચાડયાનો આરોપ લગાવ્યો હતો.જેના અનુસંધાને મેજિસ્ટ્રેટે 1 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ આપવાનો પોલીસને આદેશ આપ્યો હતો. તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.
(7:29 pm IST)