મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

મમતાના નજીક રહેલા પીરઝાદા અબ્બાસ સીદ્દીકી દ્વારા નવા પક્ષની જાહેરાત : ૧૦૦ બેઠકો ઉપર તેમનો દબદબો : મમતા ઉપર નવી આફત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ખૂબ જ નજીક ગણાતા પીરજાદા અબ્બાસ સીદ્દીકી નવો પક્ષ બનાવી રહ્યાની જાહેરાત કરી છે : બંગાળની ૧૦૦ બેઠકો ઉપર તેમનો દબદબો હોવાનું કહેવાય છે : એપ્રિલ - મેમા વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મમતાદીદીને મોટી લપડાક પડી છે : સિંગુર અને નંદીગ્રામ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ફુરફુરા શરીફ દરગાહના સ્થાપક પીરઝાદા અબ્બાસ સીદ્દીકી આજે નવા પક્ષની ઘોષણા કરી રહ્યા છે : તેમણે ઓવૈસી સાથે પણ મુલાકાત કરી હતી : ઓવૈસીએ એવી જાહેરાત કરેલ કે તેમનો એઆઈએમઆઈએમ પક્ષ અને મૌલવીના પક્ષ સાથે મળી પશ્ચિમ બંગાળની ચૂંટણી લડશે : મમતા બેનર્જીને મુસ્લિમો દલીતો અને આદિવાસીઓનું મોટુ સમર્થન છે ત્યારે સીદ્દીકીની નવા પક્ષની રચનાની જાહેરાતથી તેમને મોટો ફટકો પડશે : જો કે મૌલવી પોતે ચૂંટણી લડવાના નથી : મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમુલ કોંગ્રેસને ૨૦૧૬માં ૨૯૪ સભ્યોની વિધાનસભામાં ૨૧૧ બેઠકો મળી હતી : જયારે આ વર્ષે એબીપી - સી વોટર સર્વે મુજબ તેમને ૧૫૬ બેઠકો આસપાસ મળવાની ધારણા છે.

(3:31 pm IST)