મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

મણીપુર, ત્રિપુરા અને મેઘાલય રાજ્યોના સ્થાપના દિન નિમિતે પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મણિપુર, ત્રિપુરા અને મેઘાલયના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિન નિમિતે અભિનંદન આપ્યા છે

પ્રધાનમંત્રી એ ટ્વીટ કર્યું છે કે, 'રાજ્ય સ્થાપના દિન પર મણિપુરની જનતાને અભિનંદન. ભારતના રાષ્ટ્રીય વિકાસમાં રાજ્યના યોગદાન પર ગર્વ છે.' તેમણે એમ પણ કહ્યું કે,' રાજ્ય નવીનતા અને રમતગમતની પ્રતિભા નો ગઢ છે. મોદીએ, રાજ્યની વિકાસયાત્રા બદલ અભિનંદન પાઠવ્યા હતા.'

બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, 'ત્રિપુરાના સ્થાપના દિવસે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ.'

(1:48 pm IST)