News of Thursday, 10th June 2021
૨૪ કલાકમાં ૯૪૦૫૨ કેસઃ ૬૧૪૮ મોત
સતત ત્રીજા દિવસે ૧ લાખથી નીચે કેસઃ બિહારે ફેરફારો કરતા મોતનો આંકડો વધ્યો
નવી દિલ્હી, તા. ૧૦ :. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૦૫૨ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૬૧૪૮ લોકોના મોત થયા છે. બિહારે પોતાના મોતના આંકડામાં ફેરફારો કર્યા છે જેના કારણે મોતની સંખ્યા ૬૦૦૦ને પાર કરી ગઈ છે.
દેશમાં કોરોના કુલ કેસ થયા છે ૨૯૧૮૩૧૨૧. હાલ એકટીવ કેસ ૧૧૬૭૯૫૨ છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૧૩૬૭ લોકો સાજા પણ થયા છે.
આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૫૯૬૭૬ થયો છે. એક લાખ નીચે સતત ત્રીજા દિવસે કેસ નોંધાયા છે પરંતુ પહેલીવાર મોતનો આંકડો ૬૦૦૦ ઉપર પહોંચ્યો છે.
૨૪ કલાકમાં કુલ ૩૩૭૯૨૬૧નું રસીકરણ થયુ છે. અત્યાર સુધીમાં ૨૪૨૭૨૬૬૯૩ લોકોને રસી આપવામાં આવી છે.
(10:18 am IST)