મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

લીફટ ખાબકીઃકમલનાથ હેમખેમ

વધુ લોકો ખીચોખીચ ભર્યા

ઇંદોર તા. રરઃ ઇંદોરમાં રવિવારે એક લીફટ પડવાથી મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમના સાથે સવાર તેમના સહયોગીઓ બાલ-બાલ બચી ગયા હતા. તેઓ ઇંદોરની ડીએનએસ હોસ્પીટલમાં દાખલ સીનીયર કોંગ્રેસી નેતા રામેશ્વર પટેલના ખતર અંતર પુછવા ત્યાં ગયા હતા. હોસ્પીટલની લીફટમાં ક્ષમતાથી વધારે ૧૩-૧૪ લોકો સવાર થવાના કારણે રવિવારે સાંજે લીફટ પડીને ૧૦ ફુટ નીચે આવી ગઇ હતી. કમલનાથ અને તેમની સાથેના અન્ય કોંગ્રેસી નેતાઓ ઉપરના માળે જવા માટે લીફટમાં સવાર થયા ત્યારે લીફટ નીચે પડી હતી.

(3:51 pm IST)