મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

વિદેશથી ભારત આવનારા લોકો માટે આજથી નવી ગાઈડલાઈન્સ લાગુ :નવા નિયમનો અમલ

ડેક્લેર્શન ફોર્મની સાથે પ્રમાણિત RT-PCRનો નેગેટિવ કોરના રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલેય વિદેશથી પ્રવાસ કરીને ભારત આવનારા માટે નવા નિયમ બહાર પાડ્યા છે. નવા નિયમ 22 ફેબ્રુઆરી એટલે કે આજે મધરાતથી લાગુ થશે અને આગામી આદેશ સુધી યથાવત રહેશે.

વિદેશથી આવનાર તમામ પ્રવાસીઓએ કોવિડ-19 માટે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ પ્રવાસ પહેલા ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર ભરવાનું રહેશે.પ્રવાસીઓએ નવી દિલ્હી એરપોર્ટના ઓનલાઈન પોર્ટલ પર ડેક્લેર્શન ફોર્મની સાથે પ્રમાણિત RT-PCRનો નેગેટિવ કોરના રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પ્રવાસ શરૂ કર્યાના 72 કલાક પહેલાનો હોવો જરૂરી છે

(11:12 am IST)