News of Wednesday, 25th March 2020
જમ્મુ- કાશ્મીરના લોકોના અધિકારી પુનઃ સ્થાપિત કરવાનો સમય આવી ગયો છેઃ પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને મુકત કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, ''જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો પણ પુનઃસ્થાપિત કરવાનો સમય આવી ગયો છે.'' ટ્વિટર પર પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ''ઓમર અબ્દુલ્લાની ગેરબંધારણીય અને બિન લોકશાહી અટકાયતને અંતે રદ કરવામાં આવી છે તે જાણીને ખૂબ આનંદ થયો. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના લોકોના પણ લોકશાહી અને બંધારણીય હકકોની પુનઃ સ્થાપના કરે.
(3:30 pm IST)