મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

તેલંગાણાના મુખ્યમંત્રીએ કહ્યું, લોકડાઉનનું પાલન કરો, નહીંતર ગોળીબાર કરવાની સ્થિતિ ઉભી થશે

24 કલાકમાં કર્ફ્યુ અને ગોળી મારવાનો આદેશ આપવો પડશે

હૈદરાબાદ : કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરી 21 દિવસ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્ય સરકારને આનો કડક અમલ કરાવવાનો આદેશ આપ્યો છે. ત્યારે તેલંગાણાના સીએમએ કહ્યું કે લોકોડાઉનનો કડક અમલ કરજો નહીંતર અમારે આવુ કરવું પડશે.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુંસાર તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે મંગળવારે કહ્યું કે, 'જો લોકો કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલ લોકડાઉનનું પાલન નહીં કરો તો એવી સ્થિતિ ઊભી થશે કે અમારે 24 કલાકમાં કર્ફ્યુ અને ગોળી મારવાનો આદેશ આપવો પડશે. હું લોકોને અપીલ કરુ છું કે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન ન થવો દો.

(10:01 am IST)