જમ્મુ-કાશ્મીરમાંથી 370/35 મી કલમ હટાવી લેવાના પગલાને ઉમંગભેર વધાવતા નોર્થ અમેરિકા સ્થિત ભારતીયોઃ ભારતના પ્રાઇમ મિનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદી તથા હોમ મિનીસ્ટર શ્રી અમીત શાહના હિંમત તથા બહાદુરીભર્યા પગલાને બિરદાવ્યું
નોર્થ અમેેરિકા : જમ્મુ અને કાશ્મીરમાંથી 370/35 મી ની કલમ હટાવી દેવાના ભારત સરકારના હિંમત તથા બહાદુરીભર્યા નિર્ણયને નોર્થ અમેરિકા સ્થિત NRI કોમ્યુનીટીએ ઉમંગભેર વધાવ્યો છે.
શ્રી હસમુખ પટેલ, ડો. ઇન્દ્રજીત પટેલ, ડો. બંસી પંડિત, શ્રી સીતારામ પટેલ, (IL) રાજેશ શુકલા, શ્રી હીરુ પટેલ (NJ ) શ્રી કૌશિક આઝાદ, શ્રી પ્રફુલ્લ લાખાણી(કેનેડા) સહિતના અગ્રણીઓએ માતૃભુમિના નવનિર્માણ માટે યશસ્વી પગલું ભરવા બદલ ભારતના વડાપ્રધન શ્રી નરેન્દ્ર મોદી તથા હોમ મિનીસ્ટર શ્રી અમિત શાહને બિરદાવ્યા છે તેમજ કાશ્મીરના વતની હોવા છતાં છેલ્લા ૪૦ વર્ષથી નિરાશ્રીત થઇ ચૂકેલા કાશ્મીરી પંડિતોના સમર્થન માટે સહકાર આપનાર તમામ સાંસદોને બિરદાવ્યા છે. તથા વતનના હિતમાં લેવાયેલા આ પગલા બદલ ખુશી વ્યકત કરી છે તેવું OF BJP અમેરિકન કાશ્મીરી પંડિત એશોશીએશન ઓફ અમેરિકા NRI ફોર મોદીજી તથા ગુજરાત સમુદાય ઓફ નોર્થ અમેરિકા વતી શ્રી હસમુખ પટેલની યાદીમાં જણાવાયું છે.