મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

હમ ચાહતે હૈં અમન

સાચી વતા છે કે નાના ભુલકાઓમાં ભગવાન વસતો હોય છે. તેમના ચહેરા પર કયારેય તનાવનુ વાતાવરણ જોવા મળતુ નથી. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫-એની કલમ હટાવી દેતાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો અનેક હદે વણસ્યા છે. હાલમાં કાશ્મીરમાં રહેતા મુસ્લીમ બીરાદરોના ચહેરા પર બકરી ઈદને દિને તંગદીલીભર્યુ  વાતાવરણ રહ્યુ હતુ. ત્યારે ગઇ કાલે મુંબઇ બાંદરા સ્ટેશન નજીક બકરી ઈદ દિને આ ત્રણ ભુલકાઓના ચહેરા પર કોઇ પણ પ્રકારનો તનાવ જોવા મળ્યો નહોતો. તિરંગો હાથમાં પકડીને આ ભુલકાઓએ દેશમાં અમન રહે એવો સંદેશ આપ્યો હતો.

(3:43 pm IST)