મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

શ્રીનગરના શંકરાચાર્ય મંદિરમાં પવિત્ર ઘંટારવ

શ્રીનગરમાં ગઇકાલે સવારે ૯મી સદીના, પૌરાણીક શંકરાચાર્ય મંદિરમા ઘંટારવ થતા ભાવિકોના હૈયા પુલકીત થઇ ગયા હતા. હમેશ અહિં કોઇ શકિતનો ઉર્જા પ્રવાહ વહેતો હોય તેવી અનુભુતિ થતી હોય છે. જમીનથી ૧૦૦૦ ફુટ ઉંચે આવેલ આ મંદિરમાં ક્ષીતીજે કાશ્મીરમાં નવી શાંતિના પ્રાદુર્ભાવ માટે પ્રાર્થના થતી હોય તેવો ભાસ સહુને થતો હતો.

(11:30 am IST)