મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

બ્રાઝિલની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર :આઠના મોત : 15 ઘાયલ :બે હુમલાખોરોએ કર્યો આપઘાત

 

રિયો ડી જેનેરિયો :બ્રાઝિલના સાઓ પાઉલો પાસે એક સ્કૂલમાં બે હુમલાખોરોએ ગોળીબારી કરતા આઠ લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 15 ઘાયલ થયા છે

  રાજ્ય સેના પોલીસે જાણકારી આપી હતી,પોલીસે કહ્યું હતું કે સાઓ પાઉલો પાસે સ્થિત સુજોમાં સ્કૂલમાં થયેલ હુમલા બાદ બે હુમલાખોરોએ આપઘાત કરી લીધો છે

   એએફપીના સૂત્રો મુજબ ઘટના બાદ સ્કૂલને બંધ કરી દેવાઈ છે અને સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાયો છે સ્થાનિક પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

(12:00 am IST)