News of Thursday, 8th November 2018
ઈશ્વર નિંદાને લઈને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત આસિયા બીબીને નેધરલેન્ડ લઈ જવાશે
ઈશ્વર નિંદાને લઈને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલી ઈસાઈ મહિલા આસિયા બીબીને નેધરલેન્ડ લઈ જવામાં આવશે. જોકે, પાકિસ્તાને તો આસિયા બીબીના પાકિસ્તાન છોડવાના અહેવાલનો ઈન્કાર કર્યો છે
. ગત સપ્તાહે ઈશ્વર નિંદા મામલે મુલ્તાન જેલમાં રહેલી આસિયા બીબીને સુપ્રીમ કોર્ટે જેલમુક્ત કરી હતી.જે બાદ તેને રાવલપિંડીના નૂર ખાન એરબેઝ લઈ જવામાં આવી. અને ત્યાંથી નેધરલેન્ડ મોકલવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર બાળકોની માતા આસિયા બીબીએ પાડોશીઓ સાથેના ઝઘડા દરમિયાન ઈસ્લામ ધર્મના અપમાનનો આરોપ લાગ્યો હતો. જે બાદ વર્ષ 2010માં દોષી ઠેરવ્યા હતા. તે સતત પોતાને નિર્દોષ ઠેરવવાનો પ્રયાસ કરી રહી અને તેમને આઠ વર્ષ જેલમાં ભોગવવા પડ્યાં.
(10:13 pm IST)