મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

મતભેદથી પરેશાન આરબીઆઇ ગવર્નર ૧૯ નવેમ્બરે રાજીનામું આપી શકે

એક ઓનલાઇન ફાઇનાન્શીયલ પબ્લીકેશનના જણાવ્યા પ્રમાણે ૧૯ નવેમ્બરે આરબીઆઇ બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે. અહેવાલમાં પટેલના નજીકના સુત્રોના અહેવાલ પ્રમાણે જણાવવામાં આવ્યું કે  ગવર્નર સરકારની સાથે મતભેદોથી પરેશાન થઇ ગયા છે. અને આ એમના સ્વાસ્થ્ય ઉપર  પણ ખરાબ અસર પાડી શકે.

(12:00 am IST)