News of Thursday, 8th November 2018
મતભેદથી પરેશાન આરબીઆઇ ગવર્નર ૧૯ નવેમ્બરે રાજીનામું આપી શકે
એક ઓનલાઇન ફાઇનાન્શીયલ પબ્લીકેશનના જણાવ્યા પ્રમાણે ૧૯ નવેમ્બરે આરબીઆઇ બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે. અહેવાલમાં પટેલના નજીકના સુત્રોના અહેવાલ પ્રમાણે જણાવવામાં આવ્યું કે ગવર્નર સરકારની સાથે મતભેદોથી પરેશાન થઇ ગયા છે. અને આ એમના સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પાડી શકે.
(12:00 am IST)