ઉચ્ચ અભ્યાસ માટે પોલેન્ડ ગયેલા અમદાવાદના વિદ્યાર્થીનું ટૂંકી માંદગી બાદ કરૂણ મોત :
પોલેન્ડ :અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા સિવિલ એન્જિનિયર સંજય મહેતાનો પુત્ર પ્રયાગ મહેતા 2018ના માર્ચ મહિનામાં આર્કિટેક્ચર એન્જિનિયરિંગ અને અર્બન પ્લાનિંગનો અભ્યાસ કરવા માટે પોલેન્ડ ગયો હતો. પ્રયાગે પોલેન્ડના વૉર્સોની વિસ્ટલા (Vistula) યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. 27 ઓક્ટોબરના રોજ મહેતા પરિવારને યુનિવર્સિટી તરફથી જાણ કરવામાં આવી કે 22 ઓક્ટોબરે સવારે પ્રયાગને હોસ્પિટલમાં દાખલ કરાયો અને તેની સ્થિતિ ગંભીર હતી.
આ યુવાનનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે.જેનો મૃતદેહ હજુ પણ અમદાવાદ સ્થિત પરિવારને મળી શક્યો ન હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.20 વર્ષીય મૃતકના પરિવારે ઈન્ડિયન એમ્બસી અને સરકાર પાસે મદદ માગી હોવાછતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.