યુપી : બેકાબુ બસ પલ્ટી ખાઇ જતા ૧૭ લોકોના મોત : ૩૫થી વધુ ઘાયલ
મૈનપુરીઃ ઉત્તરપ્રદેશના મૈનપુરી ખાતે બુધવારે વહેલી સવારે ગમખ્વાલ રોડ એકિસડન્ટ થયો છે. આ દુર્ઘટનામાં ૧૭ લોકોનું સ્થળ પર જ મૃત્યુ થયું છે જયારે ૩૫થી વધુ ઘાયલ છે. અહેવાલો અનુસાર પ્રવાસીઓથી ભરેલી ટ્રાવેલ્સ કંપનીની બસ જયપુરથી ફર્રુખાબાદ જઈ રહેલી સ્લીપર કોચ બસ બેકાબૂ થઈ પલ્ટી ખાઈ ગઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ અને બચાવદળ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને બહાર કાઢી તાત્કાલીક નજીકના સ્થળે હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. અત્યાર સુધઈ મળેલા અહેવાલ અનુસાર લગભઘ ૩૫થી વધુ લોકો ઘાયલ છે જેમાં ૩ વ્યકિતઓની હાલત ખૂબ જ ગંભીર છે.
આ દુર્ઘટના બુધવારે વહેલી સવારે દન્નાહાર વિસ્તારમા ઘટી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત થયાનું જણાવ્યું છે. જયારે અનેક લોકો ઘાયલ છે. મૈનપુરીના એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારઓ સ્થળ પર હાજર છે અને સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. એકબાજુ ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જે લોકો સુરક્ષિત છે તેમને બીજી બસ મગાવી રવાના કરવામાં આવ્યા છે.