મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

નૌસેનાએ યમનમાં ચક્રવાતમાં ફસાયેલા 38 ભારતીયોને બચાવ્યા

નવી દિલ્હી :ભારતીય નૌસેનાએ ચક્રવાતના કારણે યમનમાં ફસાયેલા 38 ભારતીયોને ઓપરેશન 'નિસ્તાર 'અંતર્ગત બચાવ્યા હતા ,નૌસેનાએ રાહત અને બચાવ માટે પશ્ચિમી અરબ સાગરમાં તૈનાત 'આઈએનએસ સુનયના 'જહાજને યમનના સોકોટ્રા દ્વીપ પર મોકલ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ચક્રવાત મેકુનુથી ઓમાન અને સોકોતરો દ્વીપના વિવિધ હિસ્સા પ્રભાવિત થયા હતા

(9:04 am IST)