News of Saturday, 20th November 2021
તમિલનાડુમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી :4 બાળકો સહિત 9નાં મોત
મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મોતને ભેટનાર લોકોના પરીજનોને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી
તમિલાનાડુમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ દર્દનાક ઘટનામાં ચાર બાળકો સહિત નવનાં મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને આ ઘટનામાં મોતને ભેટનાર લોકોના પરીજનોને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
તમિલનાડુમાં એક ઓક્ટોમ્બરથી શરૂ થયેલા હાલમાં ઉત્તર-પૂર્વ મોનસૂનના દરમિયાન અત્યાર સુધી સામાન્યથી 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તરી તમિલનાડુંના જિલ્લાઓ સહિત ઘણા રાજ્યોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે
(12:27 am IST)