મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

વડાપ્રધાનને કોઈ મળે તો ખીચડી જ રંધાય?: સંજય રાઉત

મોદી- પવારની બેઠક અંગે શિવસેના નેતાનું નિવેદનઃ અમે પણ પવારને ખેડૂત મુદ્દે નરેન્દ્રભાઈને મળવા અપીલ કરેલ

નવીદિલ્હીઃ મહારાષ્ટ્રમાં સત્તાની ચાવીને લઈને રાજકીય દાવપેચ વચ્ચે આજે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ વચ્ચે બેઠક યોજાનાર છે. શરદ પવાર ખેડૂતોના મુદ્દે મોદીને મળવાના છે. પણ જાણકારો મુજબ મહારાષ્ટ્રમાં બની રહેલ રાજકીય સ્થિતિના કારણે આ બેઠક મહત્વની છે.

આ બેઠક અંગે શિવસેના નેતા સંજય રાઉતે જણાવેલ કે શું વડાપ્રધાનને કોઈ મળે તો શું ખીચડી જ પાકતી હોય છે? વડાપ્રધાન આખા દેશ માટે હોય છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને પરેશાની થઈ રહી છે. પવાર અને ઉધ્ધવજી હંમેશા ખેડૂતો માટે વિચારતા હોય છે. જો ઉધ્ધવ ઠાકરે પણ ખેડૂતોના મુદ્દે દિલ્હી આવે તો પણ શું ખીચડી જ પાકે ? સંસદની અંદર કે બહાર કોઈપણ વડાપ્રધાનને મળી શકે છે. અમે પણ શરદ પવારને ખેડૂતોના મુદ્દે નરેન્દ્રભાઈને મળવા અપીલ કરેલ. અમારા એ જ પ્રયત્નો છે કે કેન્દ્ર ખેડૂતોને વધુમાં વધુ મદદ આપી શકે.

(3:35 pm IST)