મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

કલેકટર ઓફીસમાં લોકસુનાવણી સમયે યુવક જીવતો સળગ્યો

ભોપાલઃ ગ્વાલીયરની કલેકટર ઓફીસમાં કલેકટર અનુરાગ ચૌધરી લોક સુનાવણી કરી રહયા હતા ત્યારે ગઇકાલે પોતાના પ્રશ્નો નહિ સાંભળવા સબબ નારાજ થયેલ ભિતરવાર તહેસીલનો યુવક અનિલ બરાર ત્યાં પહોંચેલ અને કલેકટરની ઓફીસના દરવાજા પાસે જ કેરોસીન છાંટી ભડભડ સળગી ઉઠયો હતો. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડેલ છે.

બરારે સરકારી જામીન ઉપર કબ્જો કરેલ છે અને આ જમીન ઉપર બીજા લોકોએ કબ્જો કરવા પ્રયાસ કરતા બરારે મુખ્યમંત્રીની હેલ્પલાઇન ઉપર ફરીયાદ કરેલ અને ખુદ કેરોસીનનો ડબ્બો લઇ કલેકટર કચેરીએ પહોંચેલ.

તેણે ભીતરવારના કોર્પોરેટર આશી ખાન ઉપર પણ પોતાને મારી નાખવા ધમકી આપ્યાની ફરીયાદ કરેલ. પણ કોઇ તેની ફરીયાદ સાંભળતુ ન હતું.

કલેકટરે કહેલ કે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ હાથ ધરાઇ છે. અને યોગ્ય પગલા લેવાશે

(3:25 pm IST)