કમલેશ તિવારીની હત્યાના ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર : યુપી પોલીસે ત્રણેયના ફોનની કસ્ટડી લીધી
ગુજરાત ATS દ્વારા મિરઝાપુર કોર્ટમાં રજૂ કરાયા : યુપી પોલીસ અમદાવાદ પહોંચી
અમદાવાદ : ગુજરાત એટીએસે કમલેશ તિવારીની હત્યા મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં રશીદ પઠાણ, મૌલાના મોસીન તેમજ ફૈઝાનની ધરપકડ કરાઇ છે. ત્રણેય આરોપીઓને ગુજરાત ATS દ્વારા મિરઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. લખનઉ પોલીસની ટીમે ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે ત્રણેય આરોપીઓના 72 કલાકના રિમાન્ડ મંજુર કર્યા છે. આ મામલે યુપી પોલીસને જાણ કરતા યુપી પોલીસના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
યુપી પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને ઉત્તર પ્રદેશ લઇ જવાના હોવાતી તેમના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવવા માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તપાસ કરનાર અધિકારી પાસે પુરતા દસ્તાવેજ માગ્યા હતા અને રેકોર્ડ જોયા હતા. આ દરમિયાન પોલીસે જપ્ત કરેલા આરોપીઓના ત્રણ ફોનની કસ્ટડી પણ યુપી પોલીસે લઇ લીધી હતી.