કમલેશ તિવારીની માતાએ કહ્યું કે, પોલીસના દબાણને કારણે મુખ્યમંત્રીને મળ્યા:જો ન્યાય નહીં મળે તો તલવાર ઉઠાવીશું
હિન્દુ ધર્મમાં 13 દિવસ ક્યાંય જતા નથી, અમને બળપૂર્વક સીતાપુરથી લખનૌ લવાયા
લખનૌ : હિન્દૂ સમાજ પાર્ટીના નેતા સ્વ,કમલેશ તિવારીની માતા કુસુમ તિવારીએ કહ્યું કે, પોલીસના દબાણને કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા છીએ. તેમણે કહ્યું કે પોલીસકર્મીઓ વારંવાર અમારા ઉપર દબાણ લાવતા હતા અને અમને બળજબરીથી લખનૌ લાવવામાં આવ્યા હતા.
રવિવારે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના સંબંધીઓએ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. પરિવારે હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરી છે. સીએમ યોગીને મળ્યા બાદ કમલેશ તિવારીની માતા અસંતુષ્ટ દેખાઈ હતી અને તેણે ચોંકાવનારો નિવેદન આપ્યું હતું.
કમલેશ તિવારીની માતા કુસુમ તિવારીએ કહ્યું કે દબાણને કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા. તેમણે કહ્યું કે પોલીસકર્મીઓ વારંવાર અમારા ઉપર દબાણ લાવતા હતા અને અમને બળજબરીથી લખનૌ લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગીને મળ્યા બાદ તેમણે કહ્યું કે હું સંતુષ્ટ નથી.
કમલેશ તિવારીની માતાએ કહ્યું કે હિન્દુ ધર્મમાં 13 દિવસ ક્યાંય જતા નથી, પરંતુ અમને બળપૂર્વક સીતાપુરથી લખનૌ લાવવામાં આવ્યા. કમલેશની માતા કુસુમ તિવારીએ પણ કહ્યું હતું કે જો ન્યાય નહીં મળે તો અમે તલવાર ઉઠાવીશું.
હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાના સંબંધમાં ન્યાયના મુદ્દે તેમના પરિવારના સભ્યોએ રવિવારે રાજધાની લખનૌમાં સીએમ હાઉસ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. જે બાદ પરિવારે જણાવ્યું કે યોગી આદિત્યનાથે હત્યારાઓની ધરપકડની માંગ વહેલી તકે સ્વીકારી લીધી છે અને પરિવાર સુરક્ષાની માંગ કરે છે.
સીએમ યોગીને મળ્યા બાદ કમલેશ તિવારીના પુત્ર સત્યમે કહ્યું કે મીટિંગ દરમિયાન તેમણે બીજી કોઈ માંગ અંગે વાત કરી નથી. પત્ની કિરણ તિવારીએ કહ્યું કે મુખ્ય પ્રધાને ન્યાય આપવાની ખાતરી આપી છે, પરિવારને ચોક્કસ ન્યાય મળશે. પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમને અન્ય કોઇપણ વસ્તુનો લોભ નથી.