મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

ફરિદાબાદઃ આર્થિક તંગીથી કંટાળી એક જ પરિવારના ચાર સભ્યોની આત્મહત્યા

ફરીદાબાદમાં એક જ પરિવારનાં 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં 3 યુવતીઓ અને તેના એક ભાઈનો સમાવેશ થાય છે. માહિતી મળી છે કે સૂરજકુંડના દયાલબાગમાં રહેતા પરિવારે 3-4 દિવસે પહેલા આત્મહત્યા કરી લીધી હતી. પરંતું ઘરમાંથી દૂર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્યુસાઈડ નોટમાં આત્મહત્યાનું કારણ આર્થિંક તંગી જણાવવામાં આવ્યુ છે.

(9:12 pm IST)