મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

મી ટુ પર અભિયાન સારુ છે: મહિલાઓએ દુરુપયોગ કરવો જોઈએ નહીં :રજનીકાંત

નવી દિલ્હી :જાણીતા અભિનેતા અને નેતા રજનીકાંતે કહ્યુ છે કે મહિલાઓ સાથે યૌનશોષણના કેસોને જાહેર કરવાનું સાધન બનેલ મી ટુ અભિયાન ઘણુ સારુ છે. તેમણે એ પણ કહ્યુ કે મી ટુ અભિયાનનો ખોટો ઉપયોગ મહિલાઓ તરફથી ના થવો જોઈએ.

 કેરળના સબરીમાલામાં ચાલી રહેલ ગતિરોધ પર રજનીકાંતે કહ્યુ છે કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરે છે પરંતુ તેને લાગે છે કે આવા મામલામાં દખલ ના દેવી જોઈએ.

(8:56 pm IST)