News of Saturday, 20th October 2018
અમૃતસર ટ્રેન દૂર્ઘટના મામલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દુઃખ વ્યક્ત કર્યું
અમૃતસર ભીષણ ટ્રેન અકસ્માતમાં પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દુઃખ વ્યક્ત કર્યુ છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યુ કે, પંજાબમાં થયેલા દુખદ રેલ દૂર્ઘટના પર હું સંવેદના વ્યક્ત કરુ છું. તેઓએ વધુમાં કહ્યુ કે, હું દુર્ઘટનામાં મૃતકોના પરિવારો અને મિત્રો પ્રત્ય સહાનુભુતિ વ્યક્ત કરૂ છું તેમજ ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તે માટે ભગવાનને પ્રર્થના કરુ છું.
(5:50 pm IST)