મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

ઉતરપ્રદેશ- ગાજીયાબાદની ઘંટાઘર કોતવાલીમા મળ્યું બ્રિટીશકાળનું ફાંસીઘરઃ એએસઅઇ કરશે નિરીક્ષણ

ગાજિયાબાદ (યુ.પી.) ની ઘંટાઘર કોતવાલીમાં બ્રિટીશ કાળનું ફાંસીઘર મળ્યું છે રાજયના મંત્રી અતુલ ગર્ગએ કહ્યું કે પુરાતત્વ વિભાગ (એએસઆઇ)ને નિરીક્ષણ માટે અહીં બોલાવશે જેથી આ સ્થળ ફાંસીઘર હોવાની પુષ્ટિ થઇ શકે.

માનવામા આવી રહ્યું છે કે ૧૮પ૭ ની ક્રાંતિ દરમ્યાન ક્રાંતિકારીઓને આ જગ્યાએ ફાંસી આપવામાં આવી હતી. મંત્રી અતુલ ગર્ગએ કહ્યું લગભગ ૪૦-પ૦ વર્ષથી આ જગ્યા બંધ હતી.

(10:27 pm IST)